સુરત
Trending

રાષ્ટ્રીય એકતા યાત્રા માટે સુરતના નાઝીર પટેલની પસંદગી

26 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી કરમસદથી એકતાનગર સુધી યાત્રા

સુરત જિલ્લાના હથોડા ગામના યુવાન નાઝીર પટેલની ભારત સરકારના યુવા મંત્રાલય દ્વારા યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’ માટે પસંદગી કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે યોજાતી આ યાત્રા માટે યુવાનોમાં દેશની એકતા પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
અખંડ ભારતના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલના જન્મોત્સવે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી કુલ 150 યુવાનોની પસંદગી થઈ છે, જેઓ ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે યુનિટી માર્ચમાં જોડાશે.
આ વિશાલ એકતા યાત્રા **26 નવેમ્બર**ના રોજ સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી પ્રારંભ કરશે. બાદમાં રાજ્યના વિવિધ વિસ્તારનો પ્રવાસ કરી **06 ડિસેમ્બર**ના રોજ એકતાનગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે પૂર્ણ થશે.
યુવા અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાતી આ એકતા યાત્રા દેશના યુવાનોને એકતા અને અખંડિતતાની વિચારસરણી સાથે જોડશે. વિવિધ રાજ્યોના યુવાનોનું સંગમ રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવશે, એમ માંડવિયાએ જણાવ્યું છે.

ABVP સાથે સંકળાયેલા નાઝીર પટેલની પસંદગી સુરત માટે ગૌરવની વાત

નાઝીર પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સંકળાયેલા છે અને તેઓ સતત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જાગૃતિ અને જવાબદારીના મુદ્દાઓ પર કાર્યરત છે. રાષ્ટ્રીય સ્તરની આ પસંદગીથી સુરત જિલ્લામાં ગર્વનો માહોલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!